28 February 2016

,

National Science Day

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

ડૉ.સી.વી.રામને આજથી 88 વર્ષ પહેલા સમગ્ર વિશ્વને ઉપયોગી એવું પોતાનું સંશોધન 'રામન અસર’ ભૌતિકવિજ્ઞાન માટે રજૂ કરેલું.તેના માટે તેમને ઈ.સ.1930 ના ભૌતિકવિજ્ઞાન માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેની યાદગીરી રૂપે અને દેશમાં યુવા વર્ગમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચી જાગે તે હેતુથી દર વર્ષે 28મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આજના આ દિવસે સર્વે મિત્રોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની શુભેચ્છાઓ. ઈ.સ.1921 ની વાત છે. એક ભારતીય વૈજ્ઞાનિક ને ઓક્સફોર્ડ યુનિવર્સિટી , ઇંગ્લેન્ડ ખાતે યુનિવર્સિટીની કોંગ્રેસમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું.આ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા .જ્યારે તેઓ જહાજ દ્વારા ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ આખા રસ્તામાં ભૂમધ્ય સમુદ્રના પાણીના રંગ પર કાળજીપૂર્વક જોઈ રહ્યા હતા અને સમુદ્રનાં વાદળી (બ્લ્યુ) રંગ ને નીહાળી રહ્યા હતાં. તેઓને મનમાં સમુદ્રનાં વાદળી રંગ વિશે જાણવાની જીજ્ઞાસા થઈ. તેઓના મગજમાં ઘણાં પ્રશ્નો ઉદભાવવા લાગ્યા.
સમુદ્રનો રંગ વાદળી જ કેમ છે ? કોઈ બીજો રંગ કેમ નહી? ક્યાંક સમુદ્ર આકાશ નાં કારણે તો વાદળી નથી દેખાતોને ?
તો, મિત્રો આ પ્રશ્નો અને તેમના મા ઉદ્બવેલ જીજ્ઞાસા એજ એમને 'રામન અસર’ ના સંશોધન માટે પ્રેરર્યા હતા. તેઓ કહેતા કે, “આકાશ એ વૈજ્ઞાનિક ચેતનાનું ઉદાહરણ છે. આપણાં આંખકાન ખુલ્લાં રાખીને, ચારે તરફનું અવલોકન કરીને વિજ્ઞાન શીખીએ છીએ, સમજીએ છીએ.”

16 February 2016

Welcome

Hi, Friends

Welcome to my blog Center for Teaching and Learning ......!