22 December 2017

,

રાષ્ટ્રીય ગણિત દિવસ

Image Source : https://www.famousscientists.org

આજ રોજ આપણા દેશના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન ની 130 મી જન્મ જયંતિ છે. આજના દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ સર્વે મિત્રોને રાષ્ટ્રીય ગણિત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
શ્રીનિવાસ ઐયંગર રામાનુજનો જન્મ 22મી ડિસેમ્બર 1887 ના દિવસે થયો હતો. તેઓ 20મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ હતા. નાનપણથી જ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા.

30 November 2017

, ,

સર જગદીશચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી


આજે અમારી શાળા નગાવલાડીયા પ્રાથમિક શાળામાં સર જગદીશચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને તેમના તેની રિસર્ચ વિશે  માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓએ પણ  સર જગદીશચંદ્ર બોઝ ના જીવન  વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.આ ઉપરાંત વિદ્યાર્થીઓને તેમના જીવન અને રીસર્ચની વિડીયો અને ઓડીયો ડોક્યુમેન્ટ્રી પણ બતાવવામાં અને સંભળાવવામાં આવી.
, , , ,

સર જગદીશચંદ્ર બોઝ જન્મજયંતિ



Image Source : wikipedia.org
Image Source : wikipedia.org

આજે આપણા દેશના મહાન વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝનો 160મો જન્મદિવસ છે. તેમનો જન્મ 30 મી નવેમ્બર, 1858 ના રોજ મેમનસિંહ (પૂર્વ બંગાળ)માં મામાના ઘરે થયો હતો.
તેઓ એ સમયના મહાન ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેમણે ભૌતિક વિજ્ઞાનજીવવિજ્ઞાનવનસ્પતિશાસ્ત્ર તથા પુરાતત્વનું ઉંડું જ્ઞાન હતું. તે દુનિયાના એવા પ્રથમ વૈજ્ઞાનિક હતો કે જેમણે રેડિયો અને સૂક્ષ્મ તરંગો ઉપર કામ કર્યું હતું. તેઓ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમને અમેરિકી પેટન્ટ મળ્યું હતું. સમગ્ર દુનિયામાં એમને રેડિયો વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે.
આ ઉપરાંત તેઓ એ  કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી હતી. વનસ્પતિમાં પણ પ્રાણીઓની જેમ સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આશ્ચર્યચકિત કરી દીધું હતું.

તો આપણા દેશના આ મહાન વૈજ્ઞાનિકને  તેમની 142મી જન્મજયંતિ નિમિત્તે સત્ સત્ વંદન....



વધુ વિગત માટે : https://wikipedia.org

29 November 2017

, ,

આયોડિન ની શોધ



આજે 29મી નવેમ્બર 1813 ના દિવસે 53 માં તત્વ આયોડિનની શોધ થઇ હતી.તેનું નામ અંગ્રેજી શબ્દ આયોડ્સ પરથી પડ્યું છે જેનો અર્થ થાય છે જાંબુડી કે જાંબલી. કેમકે , વરાળ સ્વરુપે આ તત્વ જાબુડી રંગનું હોય છે.આયોડિનનો મુખ્ય ઉપયોગ એક પોષકતત્વ તરીકે, એસેટિક એસિડની બનાવટ અને અન્ય પોલીમરની બનાવટમાં થાય છે.વધુ માહિતી માટે : Http://wikipedia.org


7 November 2017

, ,

7મી નવેમ્બર ના રોજ આપણા દેશના મહાન વૈજ્ઞાનિક ડો.સી.વી.રામન ની જન્મજયંતી હતી. આ મહામાનવને તેમના જન્મ જયંતિ નિમિતે શત શત નમન.

આ દિવસે અમારી શાળા નગાવલાડીયા પ્રાથમિક શાળા માં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ડો. સી.વી. રામન ના રિસર્ચ રામન ઇફેક્ટ વિશે માહિતી આપવામાં આવી અને બાળકોએ ડૉ. સી.વી. રામનના જીવન  વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
, , ,

ડો. સી.વી.રામન જન્મ જયંતી

Image Source :topyaps.com

ડૉ.સી.વી.રામન આપણા દેશના મહાન વૈજ્ઞાનિક હતા. તેમની યાદમાં દર વર્ષે 28મી ફેબ્રુઆરીના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ  મહાન ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ 07 નવેમ્બર, 1888 ના રોજ તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો .

તેમને તેની  રિસર્ચ "Opticals  Scattering" માટે 1930 નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.  હવે તેની આ શોધને "રામન અસર" તરીકે ઓળખવામાં આવે છે તેઓ ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જીતનાર એશિયાના સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા.

ભારત સરકારે તેમને ઇ.સ.1954 માં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન થી નવાજયા હતા.

31 October 2017

,

National Unity Day (રાષ્ટ્રીય એકતા દિવસ)


આજે આપણા દેશના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનો  જન્મદિવસ છે. આ દિવસને ઇ.સ. 2014 થી આપણા દેશ ના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ  સરદાર વલ્લભભાઈ પટેલ ની 140મી જન્મજયંતિ નિમિત્તે 31મી ઓક્ટોબર ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યાર થી આજના આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દર વર્ષે આપણા દેશમાં “રન ફોર યુનિટી” દોડનું આયોજન પણ કરવામાં આવે છે.
સરદાર વલ્લભભાઈ પટેલનો  નો જન્મ 31મી ઓક્ટોબર, 1875 ના રોજ ગુજરાત  રાજ્યના નડીઆદ શહેર માં થયો હતો અને ઉછેર કરમસદ ગામમાં થયો હતો. એ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા.જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી ઓળખાય છે.

વધુ વિગત માટે :
1.Wikipedia.org
2.Statue of Unity
3.Documentary: Life and Time of Sardar Patel
4.Movie : Sardar (1993)

24 October 2017

, , ,

ઇયળમાંથી પતંગિયું કેવી રીતે બને ?



પ્રાણી, પક્ષીઓ અને જંતુઓના જીવનમાં અનેક આશ્ચર્યજનક વિવિધતા જોવા મળે. કેટલાક જીવો જન્મે ત્યારે જુદા સ્વરૃપ હોય અને મોટાં થઈને જુદું જ રૃપ ધરે. જંતુઓમાં આ વિશેષતા વધુ જોવા મળે છે. રંગબેરંગી પાંખોવાળું પતંગિયું જન્મે ત્યારે સામાન્ય ઇયળ હોય છે. તેમાંથી સુંદર પાંખોવાળુ પતંગિયું કેવી રીતે બને તે પણ જાણવા જેવું છે.

માદા પતંગિયું કોઈ ફૂલની પાંખડી કે પાંદડા પર ઇંડા મૂકે છે. તેના ઇંડા આપણને નરી આંખે દેખાય નહીં. તેટલા ઝીણા હોય છે. ઇંડામાંથી સુક્ષ્મકદની ઇયળ બહાર આવે છે. ઇયળ વનસ્પતિ ખાઈને મોટી થાય છે. તે મોટી થાય એટલે તેની ચામડી ઉતરવા માંડે અને નવી ચામડી આવે. આ નવી ચામડી સખત બનીને નાનકડો કોશેટો બને. ઝીણા કદનો લંબગોળ પણ સખત કોશેટો પાંદડા પર ચોંટી રહે છે. દરમિયાન અંદરની ઇયળનું શરીર તૂટીને જંતુ આકાર લે છે. તેને પગ અને પાંખો ઊગે છે. તે મોટું થયા પછી કોશેટો તોડીને બહાર આવે છે.

ઇંડામાંથી પતંગિયુ બનાવાના જીવનચક્ર દરમિયાન વિવિધ રૃપાંતર પર હવામાનની અસર થાય છે. પરંતુ ઇંડામાંથી ઇયળ બહાર નીકળ્યા પછી નાનાં પતંગિયા ૯ મહિનાથી એક વર્ષ જીવે છે.

19 October 2017

, , , ,

સુબ્રહ્મનીયન ચંદ્રશેખર જન્મજયંતિ


Image source : www.thefamouspeople.com
સુબ્રમણ્યન ચંદ્રશેખર એક ભારતીય મૂળના અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ 19 ઓક્ટોબર, 1910 ના રોજ લાહોરમાં થયો હતો. તેમને તેની રિસર્ચ "for his theoretical studies of the physical processes of importance to the structure and evolution of the stars" માટે વિલિયમ એ. ફાઉલરની સાથે સંયુકત રીતે ૧૯૮૩નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તે 1930 નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જીતનાર ભારતરત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામનના ભત્રીજા હતા. તેઓએ ઇ.સ.1939 થી ઇ.સ.1995 સુધી યુનિવર્સિટી ઓફ શિકાગોમાં વ્યાખ્યાતા પદે સેવાઓ આપી હતી. ભારત સરકારે તેમને ઇ.સ.1968 માં પદ્મવિભૂષણથી નવાજયા હતા. તેના માનમાં આજે ગૂગલે તેનું Google Doodle પણ મૂકેલું છે.

સર્વે મિત્રોને  દિવાળી અને નૂતન વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ.

13 October 2017

, ,

લોલક તરંગ

Source : www.thisiscolossal.com
અહીં આ વિડીયો ક્લિપમાં  તમે લોલકના તરંગો નો પ્રયોગ જોઈ શકો છો જેમાં 16 ગોળા નો ઉપયોગ થયેલો છે. જે અમેરિકાના નોર્થ કેરોલીના સ્ટેટમાં જંગલમાં આવેલ છે.



10 October 2017

, ,

મારી શાળા નગાવલાડીયા પ્રાથમિક શાળાનું Fb પેઇજ.


મિત્રો, મેં મારી શાળા નગાવલાડીયા પ્રાથમિક શાળાનું Fb પેઇજ બનાવ્યું છે. જે અહીં આપેલ લીંક પર ક્લિક કરી જોઈ શકો છો.

જો તમને આ પેઇજ પસંદ આવે તો page Like કરવા વિનંતી

29 September 2017

, ,

Amazing Robotic Technology for Handwriting.......!


અહીં આજે આપણે  રોબોટની એવી ટેકનોલોજી નો પરિચય મેળવશું. જે રોબોટિક્સ ટેકનોલોજી લખવામાં અને ચિત્ર દોરવામાં પણ કામ આવી શકે છે. નીચે આપેલ લીંક પર ક્લિક કરીને વીડિયો દ્વારા જોઈ  શકીએ છીએ.
અહીં ક્લિક કરીને તમે રોબોટિક ટેકનોલોજી કેવી રીતે લખી શકે છે તે જોઈ શકો છો.

27 September 2017

, , ,

Gyankunj Project Training at Kidana Kanya Shala





મિત્રો, આજરોજ તારીખ 27/09/2017 ના રોજ  જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત  તાલીમ શ્રી કિડાણા કન્યા શાળા, કિડાણા મા ગોઠવવામાં આવી હતી. તેમાં મેં e-content નો ઉપયોગ કઈ રીતે સ્માર્ટ ક્લાસ માં કરી શકાય તેના વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. તે આપ આ  ફોટોગ્રાફ્સ દ્વારા જોઈ શકો છો. જેમાં SSA દ્વારા આપેલી કન્ટેન્ટ સિવાય બીજા e-content નો ઉપયોગ કઈ રીતે કરી શકાય ખાસ કરીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને ઇન્ટરનેટ પરથી  online e-content  બાળકોને બતાવી શકો છો. કિડાણા કન્યા શાળાની મુલાકાત પછી એમ કહી શકુ કે કચ્છ જિલ્લાની ઉત્તમ શાળાઓ માં ગણના થાય  એમાં શંકાને કોઈ સ્થાન નથી.

26 September 2017

, ,

Hands on with Gyankunj Project at My School



મિત્રો ગઇકાલે તારીખ 25-9-2017 ના રોજ મારી શાળા વંડી પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ નું ફીટીંગ કરવામાં આવ્યું. મેં એના પર પ્રેક્ટિસ કરી હતી જે આપ સમક્ષ ફોટો દ્વારા રજૂ કરી રહ્યો છુ . આ પ્રોજેક્ટ આપવા બદલ  આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી  અને સરકારનો આભાર માનું છું.Digital India Digital School.

25 September 2017

, , , ,

ICT in એજ્યુકેશન મેલા





ગાંધીનગર GCERT ખાતે ICT in Education Fair નુ આયોજન તા 12/09/2017 કરવામાં આવ્યું હતું. જેમાં અનીલ સ્વરૂપ સાહેબ, શિક્ષણ સચિવશ્રી MHRD દિલ્હી અને ગુજરાતના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી સુનૈનાબેન તોમર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતના આશરે ૨૫ જેટલા પ્રાથમિક શિક્ષકોને આમંત્રણ અપાયું હતું. તેમાં મને પણ પણ ભાગ લીધો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓની સમક્ષ, મેં ICT in Education માં કરેલા કાર્યો અને ઇનોવેશન રજૂ કર્યું હતું.

24 September 2017

21 September 2017

20 September 2017

, ,

PhET ઈન્ટરેકટીવ સિમ્યુલેશનસ (ભાગ -1)

PhET ઈન્ટરેકટીવ સિમ્યુલેશનસ એ યુનીવર્સીટી ઓફ કોલોરાડો બોલ્ડર નો એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેકટ નોબેલ પારિતોષિક વિજેતા કાર્લ વીમન દ્વારા ઇ.સ. 2002 થી શરુ કરાયો હતો, જે એક નોન પ્રોફિટ ઓપન સોર્સ પ્રોજેક્ટ છે.
Download : PhET ઈન્ટરેકટીવ સિમ્યુલેશનસ-I

17 September 2017

, ,

NAS Sample Paper Series


સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમા વધુ સુધારા માટે એન.સી.આર.ટી દિલ્હીના સહયોગથી 2017 મા નેશનલ એચીવમેન્ટ સર્વે કરવામાં આવશે .આ સર્વેમા ધોરણ 3 ના ભાષા-ગણીત-પર્યાવરણ, ધોરણ 5ના ભાષા- ગણીત-પર્યાવરણ અને ધોરણ 8 ના ભાષા-ગણિત- વિજ્ઞાાન-સામાજીક વિજ્ઞાાન વિષયોની કસોટીઓ લેવામાં આવશે. તો તેની પૂર્વ તૈયારી માટે તમારી સમક્ષ NAS Sample પેપરની શ્રેણી આજથી શરુ કરવા જઈ રહ્યો છું


આપ સૌ શિક્ષક મિત્રો નો સાથ સહકાર મળી રહેશે......

8 September 2017

, , , ,

બ્લોગ નિર્માણ તાલીમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -ભુજ

તારીખ ૭ અને ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ ખાતે "બ્લોગ નિર્માણ તાલીમનું  આયોજન કરવામાં  આવ્યું હતું. તેમાં મને માસ્ટર ટ્રેનર તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં 30 જેટલા શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો.આ તાલીમમાં  બ્લોગ નું નિર્માણ કઈ રીતે કરવું, તેનું સંચાલન કઈ રીતે કરવું તેની તાલીમ આપવામાં  આવી હતી.

27 April 2017

, , , ,

આત્મચિંતન શિબિર-2017

ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ એક સામૂહિક જવાબદારી- આત્મચિંતન શિબિર-2017 કાર્યક્રમનું  આયોજન 27, એપ્રિલ 2017  ના રોજ મેહસાણા ખાતે થયું હતું.આ કાર્યક્રમમાં મને પણ ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. મેં આ કાર્યક્રમમાં  ICT નો ઉપયોગ શિક્ષણ માં કેવીરીતે થાય તેના પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ કાર્યક્રમમાં આપણા રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે પ્રાથમિક શિક્ષણમાં નવા કેવી રીતે ગુણવત્તા વધેતે બાબતે અધિકારીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરી અને તેના માટે સુચનો પણ કર્યા હતાં. આ આત્મચિંતન શિબિરમાં આપણા જિલ્લાની શિક્ષણ વિભાગની ટીમ આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જરગેલા સાહેબ સહિત હાજર રહી હતી. 

27 March 2017

, , ,

સ્ટેટ લેવલ એજયુકેશનલ ઇનોવેશન ફેર-2017

સ્ટેટ લેવલ એજયુકેશનલ ઇનોવેશન ફેર-2017, તારીખ 24-25-26 માર્ચ, 2017ના રોજ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે BIET માં યોજાયો હતો.તેમાં મને પણ મારા એજયુકેશનલ ઇનોવેશન "eClass by eTextbook રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.જેમાં મારા સ્ટોલની મુલાકાત પૂર્વ પ્રાથમિક શિક્ષણ  નિયામક શ્રી આર.સી રાવલ સાહેબ તથા આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર અનિલ ગુપ્તા સાહેબે લીધી હતી.

1 March 2017

, , ,

ડિસ્ટ્રિક્ટ લેવલ એજયુકેશનલ ઇનોવેશન ફેર-2017



ડિસ્ટ્રિક્ટ લેવલ એજયુકેશનલ ઇનોવેશન ફેર-2017, તારીખ 27 માર્ચ 2017 થી 1 એપ્રિલ 2017 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ ખાતે યોજાયો હતો.તેમાં મને પણ મારા એજયુકેશનલ ઇનોવેશન "eClass by eTextbook રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.જેમાં મારા સ્ટોલની મુલાકાત આ પણ કચ્છના સંસદસભ્ય શ્રીમાન વિનોદભાઇ ચાવડા,જીલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબ,કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રી,કચ્છ જિલ્લાના કલેકટર સાહેબ,જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જરગેલા સાહેબએ લીધી હતી.

28 February 2017

,

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

ડૉ.સી.વી.રામને આજથી 89 વર્ષ પહેલા સમગ્ર વિશ્વને ઉપયોગી એવું પોતાનું સંશોધન 'રામન અસર’ ભૌતિકવિજ્ઞાન માટે રજૂ કરેલું.તેના માટે તેમને ઈ.સ.1930 ના ભૌતિકવિજ્ઞાન માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેની યાદગીરી રૂપે અને દેશમાં યુવા વર્ગમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચી જાગે તે હેતુથી દર વર્ષે 28મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આજના આ દિવસે સર્વે મિત્રોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની શુભેચ્છાઓ.