પ્રાણી, પક્ષીઓ અને જંતુઓના જીવનમાં અનેક આશ્ચર્યજનક વિવિધતા જોવા મળે. કેટલાક જીવો જન્મે ત્યારે જુદા સ્વરૃપ હોય અને મોટાં થઈને જુદું જ રૃપ ધરે. જંતુઓમાં આ વિશેષતા વધુ જોવા મળે છે. રંગબેરંગી પાંખોવાળું પતંગિયું જન્મે ત્યારે સામાન્ય ઇયળ હોય છે. તેમાંથી સુંદર પાંખોવાળુ પતંગિયું કેવી રીતે બને તે પણ જાણવા જેવું છે.
માદા પતંગિયું કોઈ ફૂલની પાંખડી કે પાંદડા પર ઇંડા મૂકે છે. તેના ઇંડા આપણને નરી આંખે દેખાય નહીં. તેટલા ઝીણા હોય છે. ઇંડામાંથી સુક્ષ્મકદની ઇયળ બહાર આવે છે. ઇયળ વનસ્પતિ ખાઈને મોટી થાય છે. તે મોટી થાય એટલે તેની ચામડી ઉતરવા માંડે અને નવી ચામડી આવે. આ નવી ચામડી સખત બનીને નાનકડો કોશેટો બને. ઝીણા કદનો લંબગોળ પણ સખત કોશેટો પાંદડા પર ચોંટી રહે છે. દરમિયાન અંદરની ઇયળનું શરીર તૂટીને જંતુ આકાર લે છે. તેને પગ અને પાંખો ઊગે છે. તે મોટું થયા પછી કોશેટો તોડીને બહાર આવે છે.
ઇંડામાંથી પતંગિયુ બનાવાના જીવનચક્ર દરમિયાન વિવિધ રૃપાંતર પર હવામાનની અસર થાય છે. પરંતુ ઇંડામાંથી ઇયળ બહાર નીકળ્યા પછી નાનાં પતંગિયા ૯ મહિનાથી એક વર્ષ જીવે છે.
માદા પતંગિયું કોઈ ફૂલની પાંખડી કે પાંદડા પર ઇંડા મૂકે છે. તેના ઇંડા આપણને નરી આંખે દેખાય નહીં. તેટલા ઝીણા હોય છે. ઇંડામાંથી સુક્ષ્મકદની ઇયળ બહાર આવે છે. ઇયળ વનસ્પતિ ખાઈને મોટી થાય છે. તે મોટી થાય એટલે તેની ચામડી ઉતરવા માંડે અને નવી ચામડી આવે. આ નવી ચામડી સખત બનીને નાનકડો કોશેટો બને. ઝીણા કદનો લંબગોળ પણ સખત કોશેટો પાંદડા પર ચોંટી રહે છે. દરમિયાન અંદરની ઇયળનું શરીર તૂટીને જંતુ આકાર લે છે. તેને પગ અને પાંખો ઊગે છે. તે મોટું થયા પછી કોશેટો તોડીને બહાર આવે છે.
ઇંડામાંથી પતંગિયુ બનાવાના જીવનચક્ર દરમિયાન વિવિધ રૃપાંતર પર હવામાનની અસર થાય છે. પરંતુ ઇંડામાંથી ઇયળ બહાર નીકળ્યા પછી નાનાં પતંગિયા ૯ મહિનાથી એક વર્ષ જીવે છે.
Share:
0 comments :
Post a Comment