વર્ષ 2018 -19 થી આપણા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા NCERT મૂજબ નો અભ્યાસ ક્રમ સ્વીકારી NCERT મૂજબ નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે.
અમને લોકોને અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવામાં આવેલ પાઠ્યપુસ્તક ને સમજાવવા નો મોકો બ્લોક રીસોર્સ સેન્ટર, અંજાર ખાતે બ્લોક કક્ષાની તાલિમમાં મળ્યો.
NCERT મૂજબ નો અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમને બ્લોક કક્ષાની તાલીમ માં સર્વે તાલીમાર્થી શિક્ષક મિત્રોને સૌપ્રથમ લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા માસ્ટર ટ્રેનર્સ દ્વારા સમજૂતિ આપવામાં આવી હતી ત્યારબાદ તાલીમાર્થી શિક્ષક મિત્રોએ પોતે અધ્યયન નિષ્પત્તિ નેઆધારે વર્ગખંડ પ્રક્રિયા માટે ડેમોસ્ટ્રેશન રજૂ કર્યા હતા. હવે, આ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ ને આપણે વર્ગખંડ પ્રક્રિયા મા અમલી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે.
Share:
0 comments :
Post a Comment